Home » समाचार » આપણો વારસો

આપણો વારસો

આવો આપણે સૌ સમજીએ…

 

આપણા ખગોળ વિજ્ઞાનને…

આપણા જ્યોતિષ વિજ્ઞાનનને…

આપણા ભૂગોળ વિજ્ઞાનનને…

આપણા બ્રહ્માંડ વિજ્ઞાનને…

 

*આજે બપોરે ૦૩-૦૦ કલાક સુધી… સોમવતી અમાવસ્ય છે…*

 

*કાર્તિક શુક્લ પ્રતિપદા…*

*કારતક સુદ એકમ…*

*કાર્તિક માસ…*

*આવતી કાલે સવારે સૂર્યોદયથી પ્રારંભ…*

 

હિન્દુ સાંસ્કૃતિક નવ વર્ષ…

વિક્રમ સંવત…૨૦૮૦ તો…

સમગ્ર ભારતમાં…

સાત માસ પહેલા…

ચૈત્ર સુદ એકમે…

પ્રારંભ થઈ જ ચૂક્યું છે…

 

સમગ્ર હિન્દુરાષ્ટ્ર ભારતમાં…

સમસ્ત હિન્દુ સમાજમાં…

 

માત્ર ગુજરાત રાજ્ય…

માત્ર ગુજરાતી સમાજ…

થોડોક દક્ષિણ રાજસ્થાનો…

મારવાડી સમાજ…

 

જૈન સમુદાય પ્રભુત્વવાળો વિસ્તાર…

જૈન સંપર્કથી…

વ્યાપારી પ્રજા… સમાજ…

 

સાત માસ પછી…

કારતક સુદ એકમે…

વિક્રમ સંવત પ્રારંભ કરે છે…

એટલે…

 

*માત્ર ગુજરાતમાં જ…*

*કારતક સુદ એકમે…*

*વિક્રમ સંવત…૨૦૮૦…*

*પ્રારંભ થાય છે…*

 

*કારણ…*

 

જૈન તીર્થંકર…

મહાવીર સ્વામીનું…

નવ વર્ષ…

કારતક સુદ એકમે પ્રારંભ થાય છે…

દિપાવલીએ પૂ.મહાવીર સ્વામીજી નિર્વાણ પામ્યા એટલે…

મહાવીર સંવત…

૨૫૪૯ પૂર્ણ…

૨૫૫૦ પ્રારંભ થશે…

 

મહાવીર સ્વામીજીનો કાલખંડ…

રાજર્ષિ વિક્રમ કરતાં પણ…

૫૦૦ વર્ષ પૂર્વે છે…

 

આપણે સૌએ પરદુઃખ ભંજક…

મા હરસિદ્ધિ ઉપાસક…

અવંતિકા… ઉજ્જૈનના…

મહાન રાજર્ષિ વિક્રમ…

જેમણે અખંડ ભારતનું…

આજના ઈરાક…ઈરાન સુધી…

સુંદર પ્રશાસન ચલાવ્યું…

સોનાના સિક્કા ચલાવ્યા…

તેમનું જીવન ચરિત્ર…

અવશ્ય વાંચવું જોઈએ…

 

અત્યારે વિદેશી અંગ્રેજી…

એપ્રિલથી… માર્ચ…

વ્યાપારી વર્ષ તરીકે…

આપણા પર હકુમત કરે છે…

 

પરંતુ…

 

આપણું ભારતીય…હિન્દુ… સાંસ્કૃતિક… વ્યાપારિક મૂળ વર્ષ તો…

કારતકમાસથી આસોમાસ સુધી જ છે…

 

આપણા ૨૭ નક્ષત્ર વિજ્ઞાનને…

આપણા ૧૨ માસ વિજ્ઞાનને…

આપણી ચંદ્ર ગતિને…

આપણી સૂર્ય ગતિને…

આપણી પૃથ્વી ગતિને…

 

આપણા વિક્રમ સંવતને…

 

 

વિક્રમ સંવતનું પંચાંગ…

ચંદ્રની ગતિ પર આધારિત છે….

આમ તો પૃથ્વી પરની બધી કુદરતી ઘટનાઓ…

ચંદ્રની પૃથ્વી સાપેક્ષ અને…

પૃથ્વીની સૂર્યને સાપેક્ષ ગતિ પર આધારિત જ છે…

સામાન્ય રીતે વિક્રમ સંવતના મહિનાઓ ચંદ્ર જે તે નક્ષત્રમાં પ્રવેશે તે પરથી નક્કી થતા હોય છે…

 

દરેક માસની શરૂઆત…

ચંદ્રના જે તે નક્ષત્રમાં પ્રવેશથી શરૂ થતી હોય… જેમકે…

 

???? ‘કૃતિકા’ નક્ષત્રથી કારતક માસ…

???? ‘મૃગશીર્ષ’ નક્ષત્રથી માગશર…

???? ‘પુષ્ય’થી પોષ…

???? ‘મઘા’થી મહા વગેરે…

 

આવી જ રીતે ‘આસો’ માસ પૂર્ણ થતાં..

ચંદ્રએ ‘કૃત્તિકા’ નક્ષત્રમાં પ્રવેશવાનું હોય છે…

ચંદ્રના પૃથ્વી સાપેક્ષ પરિક્રમણ સમય ‘પૂર્ણ દિવસ’માં ન હોવાથી, ક્યારેક તે ‘કૃતિકા’ નક્ષત્રમાં પ્રવેશી શકતો નથી…

 

આથી તે દિવસે નવા માસની એકમ ન થતાં…

તેના પછીના દિવસે નવો મહિનો શરૂ થાય છે…

પરંતુ ‘દિવાળી’ એટલે કે આસો માસની અમાવસ્યા બાદ…

વિક્રમ સંવત પૂર્ણ થયું ગણાય…

વળી નવું વર્ષ શરૂ નથી થયું તેથી…

આ દિવસ બંને વર્ષ વચ્ચેનો જોડનારો દિવસ ગણાય…

 

એને આપણે સામાન્ય રીતે…

મજાકમાં…

જ્ઞાન વગર…

સમજ વગર…

પડતર દિવસ…

ધોકો…ધોખો…

વિ…વિ…વિ…

બોલીએ છીએ…

 

પરંતુ…

 

આ આપણું…

ગહન… સૂક્ષ્મ…

જ્ઞાન…વિજ્ઞાન…

ગણિત છે…

 

તેને આપણે…

એ રીતે સમજીને…

એ રીતે જ સૌને…

સમજાવવું જોઈએ…

 

વિદેશીઓ પાસે…

આટલું સૂક્ષ્મ…

ખગોળ જ્ઞાન હોત તો કે…

આ જ પૂર્ણિમાએ…

ચંદ્ર ગ્રહણ અને…

આ જ અમાવસ્યે…

સૂર્ય ગ્રહણ થશે તો…

તેમને તેમના પૂર્વજોના…

ગૌરવ અને સ્વાભિમાનમાં…

કશું જ બાકી ના રાખ્યું હોત…

 

પરંતુ…

આપણે…

સત્ય સનાતનીઓ…

વૈદિક આર્યો…

ભારતીય હિન્દુઓ…

 

પાશ્ચાત્ય…

અંગ્રેજી… ખ્રીસ્તી…

અંધાનુકરણમાં…

તેમના ઈયર અને ડેટમાં…

તેમની દરેક બાબતમાં…

એટલા મૂર્ખ બન્યા છીએ કે…

 

આપણી ગૌરવ લેવા જેવી વાતોનું…

ગૌરવ લેવાના બદલે…

અજ્ઞાનના કારણે…

તેની મજાક કરીએ છીએ…

 

આ બધું નથી પરિવારોમાં કહેવાતું…

નથી વિદ્યાલયોમાં કહેવાતું…

કારણ આપણને આપણું…

સ્વત્વ… હિન્દુત્વ…

ભૂલાવવાનો…

ગુલામીકાળમાં જ નહિ…

આજે સ્વતંત્ર ભારતમાં પણ…

પ્રયત્નો ચાલી રહ્યા છે…

 

આ લેખ સૌને મોકલો…

સૌની જાણકારી વધે…

 

હમારી સંસ્કૃતિ…

હમારી વિરાસત…

હમારી ધરોહર…

 

જય હિન્દુસમાજ…

જય હિન્દુરાષ્ટ્ર…

 

????????????????????????

????️⛳????????️⛳????

[posts_like_dislike id=post_id]

RELATED LATEST NEWS

best news portal development company in india

Top Headlines

સંઘ ની પ્રતિનિધિ સભા નો અહેવાલ

રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘની અખિલ ભારતીય પ્રતિનિધિ સભા બેઠકની વિસ્તૃત માહિતી કર્ણાવતીમાં આયોજિત પત્રકાર વાર્તામાં ડો. ભરતભાઈ પટેલ (ગુજરાત પ્રાંત સંઘચાલક,

× How can I help you?