Home » जिला समाचार » સીવણ વર્ગ ના લાભાર્થીઓને પ્રમાણપત્ર વિતરણ

સીવણ વર્ગ ના લાભાર્થીઓને પ્રમાણપત્ર વિતરણ

આજરોજ તીર્થ સખી સંઘ દ્વારા સંચાલિત સિલાઈ તાલીમ કેન્દ્ર ના તાલીમાર્થી બહેનો માટે નહાર ગામે સર્ટિફિકેટ વિતરણ નો કાર્યક્રમ યોજાયો હતો . પીઆઇ ફાઉન્ડેશન ના આર્થિક સહયોગ થી જંબુસર ના 58 ગામોમાં કેર ઈન્ડિયા સંસ્થા દ્વારા મહિલા સશક્તિકરણ નો પ્રોજ્ક્ત એપ્રિલ 2017 થી ચાલી રહ્યો છે આ પ્રોજેક્ટ અંતર્ગત 3400 જેટલા બહીનો 300 મંડળો , 6 ક્લસ્ટર લેવલ ફેડેરેશન અને 1 બ્લોક લેવલ ફેડરેશાન માં જોડયેલી છે . આવા જ એક ક્લસ્ટર લેવલ ફેડેરેશન તીર્થ સખી સંઘ દ્વારા બહેનો ને પોતાના ગામ માં જ સિલાઈ ની તાલીમ મળી રહે તેવા હેતુથી સિલઈ તાલીમ કેન્દ્ર ચલાવવામાં આવી રહ્યું છે અને વિવિધ ગામોમાં તાલીમ નું આયોજન થાય છે. નહાર ગામ માં છેલા 3 મહિના થી 21 બહેનો ને સિલાઈ ની તાલીમ આપવામાં આવી હતી અને કોર્સ પૂર્ણ થયે આ બહેનો ને તીર્થ સખી સંઘ દ્વારા નહાર ગામ ના સરપંચ શ્રી અને પંચાયત ના સભ્યો ને હાથે સર્ટિફિકેટ વિતરણ કરાયું હતું . આ સથે જ તીર્થ સખી સંઘ દ્વારા નહાર ગ્રામ પંચાયત ને એક પંખો ભેટ સ્વરૂપે સંઘ ના પ્રમુખ રમીલાબેન અને મંત્રી લક્ષ્મીબેન ના હાથે આપવામાં આવ્યો હતો . કાર્યક્રમ નું સફળ સંચાલન લક્ષ્મીબેન પરમાર કે જે સિલઈ તાલીમ કેન્દ્ર ના ટ્રેનર પણ છે તેમના દ્વારા કરાયું હતું .

[posts_like_dislike id=post_id]

RELATED LATEST NEWS

best news portal development company in india

Top Headlines

સંઘ ની પ્રતિનિધિ સભા નો અહેવાલ

રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘની અખિલ ભારતીય પ્રતિનિધિ સભા બેઠકની વિસ્તૃત માહિતી કર્ણાવતીમાં આયોજિત પત્રકાર વાર્તામાં ડો. ભરતભાઈ પટેલ (ગુજરાત પ્રાંત સંઘચાલક,

× How can I help you?